Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડનો કાલે જન્મદિવસ

રાજકોટ : મ્યુ.કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડનો આવતીકાલે તા. ૧૨ ડિસેમ્બરના જન્મદિવસ છે.

ડો. રાઠોડ તેઓના બહોળા અનુભવ સાથે શહેરીજનોની તંદુરસ્તી માટે ઝઝુમતા રહ્યા છે રોગચાળો અટકાવયા ઝુંબેશ, ખાદ્યપદાર્થોનું ચેકીંગ વગેરેમાં તે એક હંમેશા અગ્રેસર રહે છે.

પરિવર્તન પુરૂષાર્થ પ્રાથમિકતા, પબ્લીક જેવા કાર્યપધ્ધતિના પંચ સંગમથી આરોગ્ય શાખામાં એમ.આર.કેમ્પેઇન એવોર્ડ, ફૂડમાં, કયુ.સી.આઇ. એવોર્ડ, ડીઝીટલ જન્મ-મરણ વિભાગ. દેશનાં પ્રથમ એનએબીએચ શહેરી આરોગ્ય કેન્દ્ર જેવા વિશિષ્ટ કામગીરીના કાયમી યશકલગી સમાન સંભારણાના ડો.રાઠોડ સાક્ષી બન્યા છે.

કોરોનાની શહેરની કપરી આરોગ્યલક્ષી પરિસ્થિતીમાં એક ફરજનિષ્ઠ કોરોના વોરીયર તરીકે કોરોનાની વેકસીનેશન તથા ટેસ્ટીંગની કામગીરીમાં 'ધ વોલ' બનીને અડીખમ ફરજ બજાવેલ મીડીયા કર્મી, ઇન્ડસ્ટ્રીઝ વર્કરો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કિન્નરો, હોમગાર્ડ, એસ.ટી., આઇ.ઓ.સી., ફૂડ ડીલેવરી બોયઝ, મોલ, માર્કેટીંગ યાર્ડ, કોર્ટ, આર.ટી.ઓ. વિગેરેના લાભાર્થીઓ તેમજ જૈન સમાજ, પટેલ સમાજ, સ્વામિ નારાયણ સંસ્થા, બ્રહ્મ સમાજ, વોરા સમાજ, લોહાણા સમાજ, જૈન સાધવીઓ માટે  વેકસીનેશન કેમ્પનું સફળતાપૂર્વક ટીમવર્કથી આયોજન કરેલ હતુ.

કાલે તેઓનાં જન્મદિને મિત્રો-શુભેચ્છકો સ્નેહીજનો દ્વારા (મો.૯૭૧૪૯ ૦૦૨૦૦) ઉપર જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.

(2:15 pm IST)