Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

કર્ફયુની ૨૦મી રાતે જાહેરનામા ભંગના ૧૦૧ કેસ

રાજકોટ તા. ૧૧: કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા સરકારે અમલમાં મુકેલા રાત્રી કર્ફયુનું શહેર પોલીસ સતત કડક પાલન કરાવી રહી છે. ૨૦મી રાતના નવથી સવારના છ સુધીમાં પોલીસે અલગ-અલગ જગ્યાએ કર્ફયુનું પાલન નહિ કરનારા ૧૦૧ લોકોને શોધી કાઢી જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતાં. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં તમામ પોલીસ આ કાર્યવાહી કરી રહી છે.

(2:54 pm IST)