Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

સંતોષીનગરના લીલાબેનનું ન્યારામાં જેઠના ઘરે બેભાન થયા બાદ મોત

પડી ગયા હોઇ પતિ સાથે આરામ કરવા ગયા'તા

રાજકોટ તા. ૧૧: રેલનગર પાસે સંતોષીનગરમાં રહેતાં લીલાબેન રાજુભાઇ ઉકેડીયા (ઉ.વ.૪૨) સાંજે પડધરીના ન્યારા ગામે પોતાના જેઠ હકાભાઇ સોમાભાઇના ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પડધરી પોલીસને જાણ કરી હતી.

મૃતકના પતિ રાજુભાઇ છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ થોડા દિવસ પહેલા પત્નિ ઘરે પાણી ભરતી વખતે લપસી પડતાં ઇજા થઇ હતી. હાલમાં થોડા દિવસથી બંને ન્યારા ભાઇના ઘરે આરામ કરવા ગયા હતાં. જ્યાં ગત સાંજે પત્નિ બેભાન થઇ જતાં રાજકોટ ખસેડેલ. પરંતુ દમ તોડી દીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)