Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

જાગનાથ પ્લોટમાં ડેરીમાં મીઠાઇ બનાવતી વખતે ગેસની પાઇપ લીક થતા આગઃ નાસભાગ

રાજકોટઃ જાગનાથ પ્લોટમાં શેરી નં. રરમાં આવેલ રામકૃષ્ણ ડેરી ફાર્મ નામની ડેરીમા રસોડામાં મીઠાઇ બનાવતી વખતે એલ.પી.જી. ગેસની પાઇપ લીક થતા આગ લાગતા કારીગરોમાં નાસભાગ મચી ગઇ હતી. બાદ દુકાનમાં કામ કરતા શંકરભાઇએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં રસોડામાં પડેલ કબાટ, લાકડાનો દરવાજો બળી ગયા હતા. આગમાં સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી બનાવ બનતા દુકાનના માલીક કિશનભાઇ ખોયાણી દોડી આવ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:24 pm IST)