Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

શહેર ભાજપમાંથી ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી કાર્યમાં જોડાવા રવાના થયા

કર્ણાવતી, ખાડીયા, મણીનગર, માણસા, વેજલપુરમાં કાર્યકર્તાઓની ટીમ પ્રચાર- પ્રસાર કરી ૧૫૦ પ્લસના અભિયાનનો પ્રારંભ કરશે : કમલેશ મિરાણી

રાજકોટ : શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગઈ હોય ગુજરાતમાં કર્ણાવતી, ખાડીયા, મણીનગર, વેજલપુર, માણસા કે જયાં વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન તા.૧૪ના રોજ યોજાવાનુ છે ત્યાં રાજકોટમાંથી શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, વિધાનસભા-૬૮ના ઉમેદવાર અરવિંદ રૈયાણી, ગોવિંદભાઈ ફુલવાળા, નિલેશ જલુ, મહેશ રાઠોડ, પૃથ્વીસિંહ વાળા સહિતનાની આગેવાની હેઠળ ૧૦૦થી વધુ કાર્યકર્તાઓની ટીમ ચૂંટણી કાર્યમાં જોડવા રવાના થઈ હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની ગુજરાતની નિર્ણાયક, પ્રગતિશીલ, પારદર્શક અને સંવેદનશીલ સરકારના વિકાસ કાર્યો આગળ ધપાવવા અને ગુજરાતમાં ફરી એક વખત કમળ ખીલવવા જવાબદાર કાર્યકર્તાઓની ટીમ કર્ણાવતી, માણસા, વેજલપુર સહિતના મતવિસ્તારમાં પ્રચાર - પ્રસારની કામગીરી કરી ભારતીય જનતા પાર્ટીના ૧૫૦ પ્લસના અભિયાનનો જોર-શોરથી પ્રારંભ કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:28 pm IST)