Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

બેભાન હાલતમાં મયુરનગરના સોનલબેન પ્રજાપતિનું મોત

રાજકોટ તા. ૧૨: સંત કબીર રોડ પર મયુરનગર-૧માં રહેતાં સોનલબેન મનજીભાઇ ઉંટવડીયા (ઉ.૩૦) નામના વરીયા પ્રજાપતિ મહિલાને વાઇની બિમારી હોઇ ગત રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ થોરાળા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતક બે બહેનમાં નાના હતાં. તેમના પિતા મનજીભાઇને અનાજ કરિયાણાની દૂકાન છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મોચી બજારના રાજેશભાઇ ગોહેલનું છાતીના દુઃખાવાથી મોત

મોચી બજાર ખાડામાં રામાપીરના મંદિર પાસે શ્રધ્ધાનંદ હરિજનવાસમાં રહેતાં રાજેશભાઇ નાગજીભાઇ ગોહેલ (ઉ.૪૨)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

 

(11:57 am IST)