Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વિઠ્ઠલભાઇની તબિયતમાં સુધારો, વેન્ટીલેટરનો સમય ઘટાડાયો

રાજકોટ, તા., ૧૧: સૌરાષ્ટ્રના જાણીતા ખેડુતનેતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા લાંબા સમયથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. તેઓ તબીયતના નાજુક તબક્કામાંથી પસાર થઇ રહયા છે પરંતુ સુધારાના આશાસ્પદ સંકેત મળ્યા છે.

અમદાવાદ હોસ્પીટલ ખાતે તેમની પાસે રહેલા તેમના ભાણેજ શ્રી પી.સી.સાવલીયાએ આજે અકિલાને જણાવ્યા મુજબ વિઠ્ઠલભાઇની તબિયતમાં સુધારો દેખાઇ રહયો છે. તેમને ન્યુમોનીયા મટી ગયો છે તેમજ ઇન્ફેકશનની અસરમાંથી બહાર આવી રહયા છે. આંખ સહીતના શરીરના ભાગોની મુવમેન્ટ દેખાવા લાગી છે. હવે વેન્ટીલેટર માત્ર રાત્રીના સમયે ૬ કલાક જ ચાલુ રાખવામાં આવે છે. તેમની સારવાર કરતા તબીબો રિકવરીની શરૂઆતને ખુબ જ આશાસ્પદ ગણાવી રહયા છે

(12:32 pm IST)