Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઔદિચ્‍ય ઘેરામજી બ્રહ્મણ સમાજનું સ્‍નેહ મિલન

ઔદિચ્‍ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સમાજનું સ્‍નેહ મિલન તાજેતરમાં રજપુતપરા ખાતેની બ્રાહ્મણ બોર્ડીંગમાં યોજાયુ હતુ. અતિથિ વિશેષ તરીકે સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શીતભાઇ જાની, રાજય સભાના સભ્‍ય રામભાઇ મોકરીયા ઉપસ્‍થિત રહેલ. સ્‍વાગત ઇન્‍દ્રવદનભાઇ રાજયગુરૂએ અને અંતમાં આભારદર્શન અમિતભાઇ રાજયગુરૂએ કરેલ. સંચાલન દિપકભાઇ પંડયાએ સંભાળ્‍યુ હતુ. સંસ્‍થાની વિગતો દિલીપભાઇ મહેતાએ આપેલ. કાર્યક્રમની શરૂઆત પૂ. ઔદિચ્‍ય મહારાજશ્રી ઘેલારામજી દાદાનું પૂજન- આરતી કરવામાં આવેલ. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંસ્‍થા દ્વારા રોકડ પારિતોષિક આપવામાં આવેલ. તેમજ સ્‍વ. મહેન્‍દ્રભાઇ ગુલાબરાય રાજયગુરૂની પૂણ્‍યસ્‍મૃતિમાં તમામ વિદ્યાર્થીઓને લેપટોપ બેગ પાર્થભાઇ રાજયગુરૂ દ્વારા આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુધીરભાઇ પંડયા, દિપકભાઇ રાજયગુરૂ, દિલીપભાઇ મહેતા, વિરેનભાઇ વ્‍યાસ, કીર્તનભાઇ મહેતા, પીયુષભાઇ મહેતા, રાજુભાઇ મહેતા, અમિતભાઇ રાજયગુરૂ, ઇન્‍દ્રવદનભાઇ રાજયગુરૂ, રામભાઇ ઠાકર, રાકેશભાઇ રાજયગુરૂ, જતીનભાઇ પંડયા, નીતિનભાઇ ઠાકર, પાર્થભાઇ રાજયગુરૂ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

(3:52 pm IST)