Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાજપમાં ક્‍યાંક વિરોધ છે પણ નારાજને મનાવી લેવાશે : માંડવિયા

રાજકોટમાં કેન્‍દ્રીય મંત્રીનું સુચક નિવેદન

રાજકોટ,તા.૧૧ : કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપમાં ક્‍યાંક વિરોધ હોવનો એકરાર કરી નારાજ માની જશે તેવી આશા વ્‍યકત કરી છે.

કેન્‍દ્રીય મેંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટમાં મીડીયાના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવેલ કે ભાજપમાં ક્‍યાંક વિરોધ છે પરંતુ નેતા અને કાર્યકરોને મનાવી લેવામાં આવશે. કેટલાયને ટિકીટ નથી મળી પરંતુ ઘીના ઠામમાં ઘી પડી જશે.  શિક્ષિત ઉમેદવારોને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ ૧૦૦% સફળ રહેશે.

(3:24 pm IST)