Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામી કાલે રાજકોટમાં

રાજકોટ તા. ૧૧ : બોટાદ જિલ્લામાં બરવાળા પાસે આવેલ સુપ્રસિધ્ધ તીર્થસ્થાન શ્રી સ્વામીનારાયણ મંદિર, કંુડળધામના વડા સંતશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી આવતીકાલે શુક્રવારે સવારે અહીંની મુલાકાતે  આવી રહ્યા છે. શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ ખાતે સ્મૃતિ સંકલ્પ મહોત્સવ યોજાનાર છે. તેના પ્રારંભ પ્રસંગે કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે તેઓ આશીર્વાદ પ્રવચન આપશે. એકાદ કલાકના રોકાણ બાદ જેતપુર જવા રવાના થશે. ગુરૂજી આવી રહ્યાના સમાચારથી હરિભકતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

(3:43 pm IST)