Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી કાલે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત કરશે

રાજકોટ તા.૧૧ : રાજયના વાહન વ્યવહાર મંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી આવતીકાલે રાજકોટના કાર્યકરોની શુભેચ્છા મુલાકાત કરનાર છે.આ અંગે શ્રી રૈયાણીએ જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે તા.૧રના રોજ સામાકાંઠા વિસતારના બ્રાહ્મણીયાપરામાં આવેલ તેઓના જન સંપર્ક કાર્યક્રમ ખાતે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લઇ નવા વર્ષની શુભેચ્છાઓ આપશે સાંજે ૪ થી ૬ દરમિયાન આ શુભેચ્છા મિલન સમારોહ યોજાશે તેમ શ્રી રૈયાણીએ જણાવ્યું હતું.

(3:23 pm IST)