Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

૧૨:૩૯ કલાકના શુભ મુર્હુતમાં દાદાનું સ્થાપનઃ મેઘરાજા હેત વરસાવે તેવી પ્રાર્થના

રાજકોટઃ શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, રંગમંચ, સેકટર-૨૨ દ્વારા ગઈકાલે બપોરે ૧૨:૩૯ કલાકના અભિજાત મહુરતમાં  સમિતિના અધ્યક્ષ શ્રી નિશિત વ્યાસે ભગવાન શ્રી ગણેશજી ની પૂજા- અર્ચના કરી ગાંધીનગરના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે તેમજ દેશ ભરમાં જરૂરી વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી  હતી. શ્રી શૈલેન્દ્રસિંહ બિહોલા, ડો. ચેતનાબેન બુચ, શ્રી મનોજ શુકલા, શ્રીમતી વર્ષાબેન પારેખ, શ્રી હિરેન શાસ્ત્રી એ પણ શ્રીજીની પૂજા- અર્ચના નો લાભ લીધો હતો.

તેમજ સમિતિના સભ્યો શ્રી મિતુલભાઈ જોશી, શ્રી વૈભવભાઈ જાની, શ્રી મુકેશભાઈ મારુ, શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, શ્રી ઉર્પલ જોષી, શ્રીમતી લલી બેન ઠાકોર, શ્રી રાકેશ પટેલ પણ હાજર હતા.

(2:59 pm IST)