Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

નરેશભાઈના જન્મદિનની સેવામય ઉજવણી : સેંકડો રકતદાતાઓ ઉમટી પડ્યા

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય સેવામય રીતે ઉજવાઈ રહ્યો છે. ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં વટભેર પ્રવેશ કરી રહેલા નરેશભાઈના નેજા હેઠળ ચાલતી સદ્દજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યમ પાર્ટી પ્લોટ (નાનામવા) ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વ્હેલી સવારથી જ સેંકડોની સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડ્યા હતા અને રકતદાન કરી માનવધર્મ બજાવ્યો હતો. આ રકતદાન કેમ્પમાં એકત્રિત થયેલ રકત સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવે છે. તસ્વીરમાં નરેશભાઈને જન્મદિને ઘોઘુભા જાડેજા, પરેશભાઈ ગજેરા, ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:37 pm IST)