Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

સગીરા ઉપરના દુષ્‍કર્મ-પોકસોના ગુનામાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

રાજકોટ તા. ૧૧: અત્રેની મવડી ચોકડી નજીક આવેલ શકિતનગરમાં રહેતા આરોપી ચિરાગ મહેશભાઇ મારડીયાએ સગીરા ઉપરના બળાત્‍કાર કેસમાં રેગ્‍યુલર જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. શ્રી વી. વી. પરમારે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૭/૧ર/૧૯નાં રોજ સગીરાનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જઇને રાજકોટમાં જુદી જુદી જગ્‍યાએ લઇ જઇને દુષ્‍કર્મ આચરતા આરોપી સામે અપહરણ-બળાત્‍કાર-પોકસોનો ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં આરોપીએ રેગ્‍યુલર જામીન પર છુટવા અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપી અને ભોગ બનનારને પ્રેમ સંબંધ હોય સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને સગીરા સાથે વારંવાર દુષ્‍કૃત્‍ય આચરેલ છે. આરોપી વિરૂધ્‍ધ સમાજ વિરોધી પ્રથમ દર્શનીય ગંભીર ગુનો હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઇને એડી. સેસ. જજ શ્રી પરમારે આરોપીની રેગ્‍યુલર જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સમીર એમ. ખીરા રોકાયા હતાં.

(3:38 pm IST)