Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પારેખ પરિવાર દ્વારા સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

સ્વ. રિતેષભાઇ અનિલભાઇ પારેખની સ્મૃતિમાં, હસ્તે દિપાબેન રિતેષભાઇ પારેખ, શુભમ રિતેષભાઇ પારેખ, મીનાબેન અનિલભાઇ પારેખ તથા પારેખ પરિવાર, તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ર૯મો શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો., જેમાં ર૬પ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતાં.

(3:50 pm IST)