Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 સ્વ. અનિલભાઇ જમનાદાસ કોટેચાના જન્મ દિવસ નિમિતે હસ્તે રીટાબેન દર્શનભાઇ નંદાણી તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી રર મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૭૭ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રદાન થઇ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દીને રહેવા જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવેલ. ઓપરેશન થયેલ દરેક દર્દીને ધાબળાનું વિતરણ કરાયુ હતુ.

(3:31 pm IST)