Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આરોપીઓ ન પકડાય ત્યાં સુધી કુલદીપ ખવડની લાશ નહિ સંભાળવાનો નિર્ણય

હદ મામલે રાતભર પોલીસે દોડધામ કરાવ્યાનો આક્ષેપ

હત્યાનો ભોગ બનેલા કુલદીપ ખવડના પરિવારજનો અને રાજકોટ રહેતાં તેમના કાઠી સમાજના લોકોએ ઘટનામાં આરોપીઓ તરીકે પોલીસના નામ સામે આવ્યા હોઇ પોલીસે ઢીલી નીતી રાખ્યાનો આક્ષેપ કર્યો છે તેમજ જ્યાં સુધી હત્યાના આરોપીઓ ન પકડાય ત્યાં સુધી કુલદીપની લાશ સિવિલ હોસ્પિટલ ખાતેથી નહિ સંભાળવાનો નિર્ણય કર્યો છે. મૃતકના સ્વજનોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ઘટના બની તે હદ યુનિવર્સિટી પોલીસની છે કે ગાંધીગ્રામ પોલીસની છે? તે નક્કી કરવામાં ખુબ સમય લગાડાયો હતો અને અમારે ગાંધીગ્રામથી યુનિવર્સિટી અને યુનિવર્સિટી પોલીસ મથકથી ગાંધીગ્રામ પોલીસ મથકે સતત દોડધામ કરવી પડી હતી. પહેલા તો વોકહાર્ટ હોસ્પિટલ ખાતેથી જ લાશ સંભાળવાનો ઈન્કાર કરાયો હતો. પણ બાદમાં સમાજના આગેવાનોની સમજાવટથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો.

(11:29 am IST)