Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રિક્ષામાંથી ઉતરતી વખતે પડી જતાં રતનપરના કિશોરસિંહ રાઠોડનું મોત

રાજકોટ તા. ૧૧: મોરબી રોડ પર રતનપરના પાટીયા સામે હર્ષિલ એપાર્ટમેન્ટમાં રહેતાં કિશોરસિંહ જગમાલજી રાઠોડ (ઉ.૫૭) સાંજે નવાગામ બસ સ્ટેશન પાસે રિક્ષામાંથી ઉતરતાં હતાં ત્યારે અચાનક છાતીમાં દબાણ થતાં પડી જતાં માથામાં ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. ૧૦૮ને જાણ થતાં તેના ઇએમટી કોમલબેન પરમારે પહોંચી તપાસ કરતાં તેઓ મૃત્યુ પામ્યાનું જણાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. આર. એલ. ખટાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:13 pm IST)