Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કાલે વિર યોધ્ધાઓનો શ્રધ્ધાંજલી કાર્યક્રમઃ ચિત્રકાર-રાષ્ટ્રવાદી વકતા બાબા સત્યાનારાયણજી મોર્યનુ વકતવ્ય

સ્વામી વિવેકાનંદ સમરસતા સમિતિ દ્વારા આયોજન

 રાજકોટઃ તા.૧૧, શ્રી સ્વામી વિવેકાનંદ સમરસતા સમિતિ અને યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા કાલે તા.૧૨ના મંગળવારે રાત્રે ૯ કલાકે બોલબાલા માર્ગ, આહિર ચોકથી આગળ વોર્ડ નં.૧૮, ગણેશ કોમ્પ્લેક્ષની બાજુમાં રાજકોટ ખાતે વીર  યોદ્ધાઓનો શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય સૈન્યના વીર યોદ્ધાઓના પરિવાર હાજર રહેશે. સાથે પ્રખર રાષ્ટ્રવાદી વકતા શ્રી બાબા સત્યનારાયણજી મોર્યના માધ્યમથી દરેક વ્યકિતમાં રાષ્ટ્રપ્રેમની જયોત જલાવી શહિદોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અપાશે.

 આ તકે કવિ, ચિત્રકાર અને પ્રખર રાષ્ટ્રવાદી વકતા શ્રી બાબા સત્યનારાયણજી મોર્ય તેજાબી વકતવ્ય આપશે. આ કાર્યક્રમમાં સેનાના વીર  યોદ્ધાઓના પરિવારજનો ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી અશ્વિનભાઇ સોરઠીયા (મો.૯૮૨૪૫ ૨૧૮૮૭), અજયભાઇ બોરીચા, ભરતભાઇ સરધારા, સંજયસિંહ રાણા, નિખીલ દોંગા, મૌલિકસિંહ વાઢેર, મુકેશભાઇ ડાભી, અનિલભાઇ દોંગા, મહેશભાઇ આસોદરીયા, મિતેશભાઇ પીપળીયા, મનીષભાઇ નસીત, મીલનભાઇ સોલંકી, વિક્રમભાઇ આહિર, સંજયસિંહ રાણા, ભરતભાઇ સરધારા, પ્રશાંતભાઇ પાંભર, મહેશભાઇ લુણાગરીયા, અજય બોરીચા, અશ્વિનભાઇ સોરઠીયા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:57 pm IST)