Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

તિરંગાયાત્રામાં પરશુરામ યુવા સંસ્થાન જોડાશે : ભુદેવોને ઉમટી પડવા આહવાન

રાજકોટ : આગમી તા. ૧૩ ગુરૂવારના રોજ રાષ્ટ્રીય એકતા દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા તિરંગા યાત્રા નિકળનાર હોય પરશુરામ યુવા સંસ્થાના તમામ આગેવાનો કાર્યકરો રાષ્ટ્રીય એકતા યાત્રામાં જોડાશે અને સીએએને જાહેર સમર્થન આપશે. આ તિરંગા યાત્રામાં પરશુરામ યુવા સંસ્થાના આગેવાનો સર્વશ્રી અભયભાઇ ભારદ્વાજ, નિરંજનભાઇ દવે, સમીરભાઇ ખીરા, પંકજભાઇ દવે, હરેશભાઇ જોશી, દિપકભાઇ દવે, સૌરભભાઇ જોશી, જયેશભાઇ ભટ્ટ, યોગેશભાઇ ભટ્ટ, આનંદ  જોશી, અજય જોશી, નીલ શુકલ, કૃણાલ દવે  સહિત વિશાળ ભાઇ-બહેનો જોડાશે. તસ્વીરમાં નિરંજનભાઇ દવે, સમીરભાઇ ખીરા, પંકજભાઇ દવે, જયેશભાઇ ભટ્ટ અને અંકિતભાઇ જોશી નજરે પડે છે.(તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:05 pm IST)