Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

મોરબી રોડના ગણેશનગરના મનોજ ઉર્ફ અપ્પુનું બેભાન હાલતમાં મોત

ઘર પડી ગયું હોઇ બહાર સુઇ રહેતો'તોઃ ઠંડીને કારણે એટેક આવી ગયાની શકયતાઃ એકલો જ રહેતો હતો

રાજકોટ તા. ૧૧: મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે ગણેશનગર-૧૧માં રહેતો મનોજભાઇ ઉર્ફ અપ્પુ સોમાભાઇ જાદવ (વણકર) (ઉ.વ.૩૮) ગઇકાલે ઘરે હતો ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં અને બેભાન જેવો થઇજતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેના ભાઇ હિરેનભાઇના કહેવા મુજબ મનોજભાઇ અહિ એકલો જ રહેતો હતો. મકાન પડી ગયું હોઇ તે મોટે ભાગે પડેલા મકાનની બહાર ખાટલો ઢાળી સુઇ રહેતો હતો. કદાચ ઠંડીમાં આવી જતાં હાર્ટએટેક આવી ગયાની શકયતા છે.

(3:52 pm IST)