Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ગંજીવાડામાં બેકારીથી કંટાળી દિનેશભાઇ બથવારનો એસીડ પી આપઘાત

રાજકોટ તા. ૧૧ : ગંજીવાડામાં રહેતા યુવાને બેકારીથી કંટાળી એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં. ૩૮માં રહેતા દિનેશભાઇ વશરામભાઇ બથવાર (ઉ.વ.૩૫)એ ગઇકાલે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ કે.કે.પરમાર અને રાઇટર યુવરાજસિંહએ તપાસ હાથ ધરી હતી. મૃતક દિનેશભાઇ તેના નાના ભાઇ સાથે રહેતા હતા. તેને ઘણા સમયથી કામધંધો મળતો ન હોઇ, બેકારીથી કંટાળી તેણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું હતું.

(3:51 pm IST)