Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટના હોદેદારોની ચુંટણીમાં સદ્દભાવના પેનલનો ઝળહળતો વિજય

પ્રમુખ તરીકે રમેશભાઇ સોરઠીયા અને મંત્રી તરીકે બળવંતભાઇ હળવદીયાની વરણી

રાજકોટ તા. ૧૧ : રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટની ચુંટણી તાજેતરમાં યોજાય જતા સદ્દભાવના પેનલના ૧૨ કારોબારી સદસ્ય અને પ ટ્રસ્ટી મંડળના સદસ્યો જંગી બહુમતીથી ચુંટાઇ આવ્યા હતા. ૬ કારોબારી સભ્ય અન્ય પેનલના વિજેતા બનેલ હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટની ચુંટણીમાં સદ્દભાવના પેનલમાં સર્વશ્રી ચંદુભાઇ જાદવ, ભરતભાઇ ભલસોડ, મનસુખભાઇ પરમાર, નરેશભાઇ ગોરવાડીયા, ભાવેશભાઇ ભલસોડ, અશોકભાઇ ગોહેલ, મનસુખભાઇ સતાપરા, દામજીભાઇ ભલસોડ, નરશીભાઇ હળવદીયા, વિનોદભાઇ કોશિયા, બળવંતભાઇ હળવદીયા, રમેશભાઇ સોરઠીયા કારોબારી સદસ્ય તરીકે ચુંટાઇ આવેલ.

જયારે ગોવિંદભાઇ સરેલીયા, અમરશીભાઇ ભલસોડ, રસિકભાઇ ભલગામા, ઇશ્વરભાઇ ઘાટલિયા, જયેશભાઇ ચૌહાણ જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે ચુંટાઇ આવ્યા હતા.

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટના ચુંટાયેલ નવનિયુકત સદસ્યોની બેઠક મળી જતા સર્વાનુમતે પ્રમુખ તરીકે રમેશભાઇ સોરઠીયા (મો.૯૦૯૯૯ ૨૬૯૬૬), મંત્રી તરીકે બળવંતભાઇ હળવદીયા (મો.૯૪૨૬૨ ૪૦૨૩૪), ઉપપ્રમુખ તરીકે વિનોદભાઇ કોશીયા, સહમંત્રી તરીકે અશોકભાઇ ગોહેલ, ખજાનચી તરીકે નરેશભાઇ ગોરવાડીયા, સહખજાનચી તરીકે ભરતભાઇ ભલસોડ, ઓડીટર તરીકે ભાવેશભાઇ ભલસોડની વરણી કરવામાં આવેલ.

એજ રીતે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રમેશભાઇ સોરઠીયા, વાઇસ ચેરમેન તરીકે મનખસુખભાઇ સતાપરા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે દામજીભાઇ ભલસોડ અને વાઇસ ચેરમેન તરીકે નરશીભાઇ હળવદીયા તેમજ ખરીદ સમિતિના ચેરમેન તરીકે મનસુખભાઇ પરમારની વરણી કરવામાં આવી હતી.

(3:50 pm IST)