Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં પંડીત દીનદયાલજીને વંદના-પુષ્પાંજલી

રાજકોટઃ એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના સમર્પણદિને શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં તેમની પુણ્યતિથી નિમિતે શ્રધ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પિત કરી પુણ્યાત્મા અર્થે પ્રાર્થના કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ધનસુખ ભંડેરી, નિતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર અશ્વીન મોલીયા, દંડક દલસુખ જાગાણી, રાજુભાઈ ધ્રુવ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)