Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રૈયા ટી.પી.સ્કીમમાં હોસ્પીટલની જમીનનો હેતુ ફેર કરી તંત્ર વેચી નાંખશેઃ જનરલ બોર્ડમાં દરખાસ્ત

૧૯મીએ મળનાર જનરલ બોર્ડમાં રેન્ટલ હાઉસિંગ સ્કીમ સહીત પાંચ દરખાસ્તોનો લેવાશે નિર્ણય

રાજકોટ તા. ૧૧ : આગામી  ૧૯મીએ મળનાર મ.ન.પા.ના જનરલ બોર્ડમં ટી.પી.સ્કીમની જમીનનો હેતુ ફેર કરવા સહીતની પાંચ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાનાર છે.

આ અંગે જનરલ બોર્ડમાં એજન્ડામાં પ્રસિધ્ધ થયેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આખરી નગર રચના યોજના નં. ૪ રૈયાના ''હોસ્પિટલ''ના હેતુ માટેના અનામત પ્લોટ નં. ૪૦૭નો ''વાણિજય વેચાણ'' ના હેતુમાં  હેતુફેર કરવા માટે અધિનિયમની કલમ-૭૧ હેઠળ વેરીડ કરવા અંગે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનો પત્ર નં.૭ તા. ૭/૧૦/ર૦ર૧ તથા તે પરત્વેનો પ્લ.ક.ઠ.નં.૪ તા.૧/૧ર/ર૦ર૧ લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત.

ગુજરાત સરકાર દ્વારા સુચવવામાં આવેલ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિીતની રચના કરવા અંગે મ્યુનિસિપલ કમીશનરશ્રીનો પત્ર ન.ંરપ૬ તા.૪/૧/ર૦ર૧ તથા તે પરત્વેનો સ્ટે. ક.ઠ.નં.ર૯ર તા.૧૪/૧ર/ર૦ર૧લક્ષમાં લઇ નિર્ણય લવા બાબત.

વોર્ડ નં.૬માં શીતળા માતાના મંદિર, પાંજરાપોળ પાસે આવેલ સુલભ શૌચાલય દુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનો પત્ર નં. ૯ તા.૧૮/૧ર/ર૦ર૧ તથા તે પરત્વેનો સેનિટેશન સમીતી ઠરાવ નં.૪ તા.ર૭/૧ર/ર૦ર૧  લક્ષમં લઇ નિર્ણય લેવા બાબત.

એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ અંગેની કામગીરી કરવા અંગે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનો પત્ર નં.ર૭૯ તા. ર૪/૧ર/ર૦ર૧ તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ. તા.ર૮/૧/ર૦ર૧ લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબતે નગર.

એફોર્ડેલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ અંગેની કામગીરી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.ર૭૯ તા.ર૪/૧ર/ર૦ર૧ તથા તે પરત્વેનો સ્ટે. ક.ઠ.નં. ૩૧૭ તા. ર૮/૧ર/ર૦ર૧ લક્ષમાં લઇ નિર્ણય લેવા. (પ) નગર પ્રાથમીક શિક્ષણ સમિતીનું સેજકામ જાણમાં લેવા બાબત. આપ ઉપરોકત પાંચ દરખાસ્તો અંગે જનરલ બોર્ડમાં લેવાશે.નિર્ણય.

(3:52 pm IST)