Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કાલે રાજકોટમાં શહિદ જાગૃતિ અભિયાન રેલી

શહીદ ભગતસિંહ - સુખદેવ - રાજયગુરૂને ભારતરત્નની માંગ સાથે : ૧૦૦થી વધુ ફોર વ્હીલ યુનિ. રોડથી પ્રારંભ થઈ નાના મવા સર્કલ ખાતે સમાપન

રાજકોટ, તા. ૧૧ : ભારતના મહાન યુવા ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરૂ, હસતા મોઢે દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચડી ગયા હતા અને ભારતની આઝાદીના ૭૨ વર્ષ થયા હોવા છતાં આવા મહાન યુવા ક્રાંતિકારીઓને આજદિન સુધી દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન આપવામાં આવેલ નથી. તેમજ શહીદનું બિરૂદ પણ આપવામાં આવેલ નથી. માટે સામાન્ય માણસ સુધી આ વાત પહોંચે તેમજ આ મહાન ક્રાંતિકારીઓ પ્રત્યે સન્માનની ભાવના જાગે તે માટે 'શહીદ જાગૃતિ અભિયાન' નામની રેલી તા.૧૨ના રવિવારે સવારે ૯:૩૦ વાગ્યાથી રાજકોટમાં ૧૦૦થી વધુ ફોરવીલના કાફલા સાથે ક્રાંતિકારીને સન્માન આપવામાં રેલી કાઢવામાં આવશે.

હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લીકન એસોસીએશન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને પત્ર લખી ત્રણેય મહાન યુવા ક્રાંતિકારીને ભારતરત્ન પુરસ્કાર આપવામાં આવે તેવી માંગ કરેલ તેમજ ભારતના ૫૪૨ સાંસદ સભ્યો, ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો અને ભારત ૩૦ મુખ્યમંત્રીઓને પણ પત્ર લખી ત્રણેય યુવા શહીદોને ભારત્ન પુરસ્કાર આવનાર ૨૬મી જાન્યુઆરીના રોજ આપવામાં આવે તેવી પત્ર લખી માંગણી સાથે ૧૯ હજાર પોસ્ટ કાર્ડ મોકલવામાં આવ્યા છે. જે લોકો પત્ર નથી લખી શકતા તે મિસકોલ કરીને પણ સમર્થન આપી શકે છે. મો.૯૭૮૩૩ ૫૦૪૪૪.

આ અભિયાનમાં દિપકભાઈ બસીયા, સાગરભાઈ જારીયા, સંજયભાઈ કુંભરવાડીયા, અતુલભાઈ ફળદુ, વિરલભાઈ કાકડીયા, દિપકભાઈ રબારી, દિવ્યેશભાઈ ચોવટીયા, વિશાલભાઈ ગોહિલ, તુષારભાઈ ડોડીયા, સુરજભાઈ ડેર, વિનોદભાઈ દેસાઈ, કેયુરભાઈ દેસાઈ, મહેકભાઈ મકવાણા, ભરતભાઈ બસીયા, વિશાલભાઈ જીલરીયા વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:35 pm IST)