Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણીઃ પદયાત્રામાં ભુલકાઓએ વેશભુષામાં આકર્ષણ જમાવ્યુ

રાજકોટ, તા.૧૧: શ્રી અરવિંદભાઈ મણીયાર રીસર્ચ સેન્ટર અને ફ્રિડમ યુવા ગ્રુપ- રાજકોટના સહકારથી શ્રી પંચનાથ ધર્મ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદજીની ૧૫૪મી જન્મીજયંતી ઊજવણી કરવામાં આવી. જેમાં પંચનાથ મહાદેવ મંદિરમાં ધર્મસભા બાદ પદયાત્રાનું પ્રસ્થાન કરાવમાં આવેલ હતું. ધર્મસભામાં રામકૃષ્ણ આશ્રમના શ્રી પ્રભુસેવાનંદ સ્વામી આખ્યાન આપવામાં આવેલ હતું. આ તકે પંચનાથ મહાદેવ મંદિરના પૂજારી શ્રી ઈન્દ્રવદનભાઈ ત્રિવેદી અરવિંદભાઈ મણીયાર રીસર્ચ સેન્ટરના શ્રી હર્શલભાઈ મણીયાર, ફ્રિડમ યુવા ગ્રુપના સંસ્થાપક ભાગ્યેશભાઈ વોરા, શ્રી ધનરાજભાઈ મહેતા (ન્યુયોર્ક), રોહિત સિધ્ધપુરાના ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામી પ્રભુસેવાનંદજી દ્વારા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સાથેના રથનું પૂજન અર્ચન મંત્રોચ્ચાર દ્વારા કરેલ આ પદયાત્રા પંચનાથ વિસ્તાર તથા સદરવિસ્તારમાં ફરી હતી જ્યાં ઠેકઠેકાણે લોકોએ સ્વામી વિવેકાનંદજીની મૂર્તિનું પૂજન અને સ્વાગત ઉત્સાહભેર કર્યું હતું. પંચનાથ મહાદેવ મંદિરથી ધર્મસભા બાદમાં પદયાત્રાનો થયેલ પ્રારંભ પંચનાથ પ્લોટ અને સદરબજાર વિસ્તારમાં ભ્રમણ કરી મંગલેશ્વર મહાદેવ મંદિરે વિરામ પામી હતી.

નાના ભૂલકાઓ સ્વામી વિવેકાનંદજીની વેશભૂષામાં આકર્ષણ જણાવ્યું હતું. મનોજ ડોડીયા, પ્રવીણ ચાવડા, સંજય પારેખ, પરેશ શેઠ, રાજેશભાઈ પંડ્યા, મલય મણીયાર, અમિત ભટ્ટ, જયંતભાઈ ધોળકીયા, લક્ષ્મણભાઈ ચાવડા, ઈન્દ્રવદનભાઈ રાજયગુરૂ, પારસ વાણીયા, ભાવેશ અઢીયા, અજીત ડોડીયા, સંજય ચોહાણ, જીજ્ઞેશ ધૃવ, નીતિન જરીયા, રસિકભાઈ મોરધરા, નિમેશ કેસરિયા, ભુપતભાઈ દવે, ગલાભાઈ, કિરીટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, ભાવિન ગોટેચા, સુરેશ સિંધવ, વિશાલ અનડકટ, જીતેશ સાંધાણી, અવધેશ કોટક, કીર્તિ નથવાણી, નાજાબાટા, અલ્પેશ પલાણ, જયેશ ખત્રી, ભાવેશ માકંડ, સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:53 pm IST)