Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કન્ટ્રોલ ઇન્ચાર્જ, સર્વેલન્સ પીએસઆઇ અને પીસીઆરના સ્ટાફને પોલીસ કમિશનરે રોકડ ઇનામ આપ્યું

શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ઘટનાની જાણ થતાં જ કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ નિરંજન જાની તથા યજુવેન્દ્રસિંહ જાડેજાએ તુર્તજ મોબાઇલો દોડાવી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું. આ કારણે પોલીસની ટીમો હરકતમાં આવી હતી અને આરોપીઓ ઝડપાઇ ગયા હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ઇન્ચાર્જ નિરંજન જાનીને રૂ. ૨૫૦૦નું ઇનામ, સવૈલન્સ સ્કવોડના પીએસઆઇને રૂ. ૨૫૦૦ તથા પીસીઆર વેનના સ્ટાફના ત્રણ કર્મચારીઓને રૂ. ૨૫૦૦નું ઇનામ જાહેર કર્યુ હતું.

(3:38 pm IST)