Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજકોટમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જન્મોત્સવમાં હરિભકતોની ભીડ

 વાંકાનેર : સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ (સ્વામિનારાયણનગર) ધર્મોલ્લાસથી તરબતર બની ગયું છે. પૂ. પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતિ મહોત્સવ (બીએપીએસ) શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ તા. ૫ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ માધાપર બાયપાસ રોડના ૫૦૦ એકર જમીન ઉપર સ્વર્ગ જેવો માહોલ થયો છે. ધર્મ, ભકિત, જ્ઞાનનો ત્રિવેણી સંગમમાં ભોજનપ્રસાદનો અતુલ્ય લ્હાવો પણ લે છે. તા. ૯-૧૨-૧૮ને રવિવારના રોજ લાખો હરિભકતોનો નાયગ્રાધોધ બની લાખો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આવડું મોટું ગ્રાઉન્ડ ટુંકું પડતું હતું. માનવી... માનવી... જાણે પ્રમુખસ્વામીને ખાસ યાદી બની ગઇ છે. રવિવારની રજાના કારણે ભકતો વાહનો લઇને આવતા હતા. લાજવાબ અર્થ વ્યવસ્થા - સેવકોની સેવા કાબીલે દાદ હતી. (ડ્રોન તસ્વીર : ભાટી એન., વાંકાનેર)(૨૧.૧૮)

(3:44 pm IST)