Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પૂ. નિર્દોષાનંદજી મહારાજના શિષ્ય શ્રધ્ધાનંદ મહારાજ ચરખામા બ્રહ્મલીન

રાજકોટઃ પૂ. નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજના શિષ્ય શ્રધ્ધાનંદ સરસ્વતી મહારાજ આજે સવારે બ્રહ્મલીન થતા સેવકગણમાં ભારે શોક છવાયો છે.

પૂ. નિર્દોષાનંદ સ્વામી મહારાજના અનન્ય ચરણાનુરાગી સદ્શિષ્ય અને સૌના વ્હાલા સ્વામી શ્રી શ્રધ્ધાનંદ સરસ્વતીજી મહારાજ આજે તા. ૧૦-૧૧-૨૦૨૧ને બુધવાર, કારતક સુદ-ષષ્ઠીનાં રોજ સવારે ૯.૨૫ કલાકે નશ્વરદેહનો ત્યાગ કરી પરમ શિવતત્વમાં વિલીન થયા છે.

બ્ર. પૂ. પાદ સદ્ગુરૂદેવના આજથી ૯ વર્ષ પૂર્વે (ઈ.સ. ૨૦૧૨માં) અપાયેલા પૂર્વ આદેશ અનુસાર બ્ર.પૂ. સ્વામી શ્રી શ્રધ્ધાનંદજીના દેહના અગ્નિસંસ્કાર ચરખા આશ્રમના પવિત્ર પ્રાંગણમાં આજે તા. ૧૦-૧૧-૨૦૨૧ના રોજ બપોરે ૪.૦૦ કલાકે પૂ. સ્વામી શ્રી ભોલાનંદજી અને પૂ. સ્વામી શ્રી સદાનંદજીના હસ્તે કરવામાં આવશે.

આ વિધિમાં શાંતિનિકેતન સંન્યાસ આશ્રમ, મુ. ચરખા, તા. બાબરા, જિ. અમરેલી. મો. ૯૮૨૫૫ ૯૨૬૦૪, ૯૯૨૫૭ ૫૬૯૪૮ ખાતે ભાવિકો ઉપસ્થિત રહેશે તેમ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ-ચરખા ગામ સમસ્તના સર્વે સત્સંગીજનોએ ઓમ નમો નારાયણાય સાથે જણાવ્યુ છે.

(2:46 pm IST)