Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગાંધીગ્રામ કાલે જલાબાપાની ભકિતમાં લીન થશે

રઘુવંશી યુવા કલબ દ્વારા સર્વેશ્વર ચોકમાં જલારામ જયંતિ ઉજવાશે : સાંજે મહાઆરતી - મહાપ્રસાદ

રાજકોટ તા. ૧૦ : સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી યુવા કલબ દ્વારા ગાંધીગ્રામ, સર્વેશ્વર ચોકમાં ધર્મમય આયોજન કરાયું છે.

કાલે ગુરૂવારે સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતી અને ૭ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે સૌને પરિવાર સાથે પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

આયોજનને સફળ બનાવવા રઘુવંશી યુવા કલબના પ્રમુખ રવિ માણેક, રાજુ રૂવાળા (ભોજાણી), સચીન ચંદારાણા, ભાવેશ અઢીયા, ચંદ્રેશ રાચ્છ, વિવેક ચોલેરા, શ્રધ્ધા પૂજારા, હિરેન જોબનપુત્રા, પરાગ તન્ના, આનંદ કોટક, મધુવન રાયઠઠ્ઠા, સંદીપ ઉનડકટ, દિપક રાજાણી, પરાગ રતનધાયરા, નિખીલ રાજાણી, જયેશ પાબારી, તેજસ જીવરાજાણી, હાર્દિક માણેક તથા મૌલીક વસાણી જહેમત ઉઠાવી રહ્યા છે. રઘુવંશી યુવા કલબમાં જોડાવા મો. ૯૦૩૩૧ ૫૧૧૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રઘુવંશી યુવા કલબ ગાંધીગ્રામના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:45 pm IST)