Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ભીડભંજન મહાદેવ મંદિરે સોમવારથી શ્રી શિવ મહાપુરાણ કથા

શાસ્ત્રી મેહુલ મહારાજ કથાનું રસપાન કરાવશે

રાજકોટઃ અહિંના ગુજરાત હાઉસીંગ બોર્ડ, સાગર ચોકમાં આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે તા.૧૨ના સોમવારથી તા.૨૦ના મંગળવાર સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
શ્રી ભીડભંજન મહાદેવજીના સાનિધ્‍યમાં શ્રી ગોપી મંડળ આયોજીત આ શિવકથામાં વ્‍યાસાસને શાસ્ત્રી શ્રી મેહુલ મહારાજ કથાનું સંગીતમય રસપાન કરાવશે. સોમવારે સાંજે ૪:૩૦ કલાકે કથાનો પ્રારંભ થશે. કથાનો સમય બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધીનો રહેશે. વધુ માહિતી માટે મો.૮૧૬૦૪ ૮૭૫૯૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

 

(3:45 pm IST)