Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

સોમવારે જમાલશાહ કમાલશાહપીરનું ઉર્ષ મુબારકઃ નહેરૂનગરમાંથી જુલુસ નીકળશે

રાજકોટઃ સદર આમ સુન્ની મુસ્‍લીમ વકફ કમીટી સંચાલીત જનસતા પ્રેસ પાછળ, સદરમાં આવેલ જમાલશાહ કમાલશાહપીરનું ઉર્ષ મુબારક મુ.સફર ૧૪ અં. તા.૧૨ સોમવારના રોજ રાખવામાં આવેલ છે.

સંદલ જુલુસ તા.૧૨ સોમવારે બપોરે ૩ વાગ્‍યે નહેરૂનગર શેરી નં.૨/૪ સૈયદ હાજી મહંમદ બશીરબાપુ બુખારી અને સૈયદ એજાઝબાપુ બુખારીના ઘરેથી જુલુસ શરૂ રૈયારોડ, આમ્રપાલી સીનેમા, રેસકોર્ષ થઇ પંચાયત ઓફીસની પાસેથી કન્‍યા છાત્રાલય, ખાટકીવાડ થઇ જનસતા પ્રેસચોકથી દરગાહ શરીફ સાંજે ૫ વાગ્‍યે દરગાહ શરીફ પહોંચશે, જુમ્‍મા મસ્‍જીદના પેઇશ ઇમામ હાફીઝ હાજી મોહંમદ અકરમખાન સાહેબ અને સૈયદ હાજી મહમદ બસીરબાપુ બુખારી અને સંયદ રફીકબાપુ બુખારી અને દરગાહ શરીફના મુંજાવર જનાબ શેખ અ.રજાક શાહના મુબારક હાથોથી સંદલ શરીફ ચડાવવામાં આવશે.

દરગાહ શરીફના કંપાઉન્‍ડમાં રાજકોટના મશહુર કે.જી.એન.ગ્રુપ દ્વારા મહેફીલે મીલાદ નાતીયા પ્રોગ્રામ રાત્રે ૯ વાગ્‍યે શરૂ કરવામાં આવશે. જેમાં સદર જુમા મસ્‍જીદના હાફીઝ હાજી મોહંમદ અકરમખાન સાહેબ હાજરી આપશે.

આ આયોજનમાં સુન્ની મુસ્‍લીમ વકફ કમીટીના પ્રમુખ રફીકભાઇ ઇશાકભાઇ દલવાણી, ઉપપ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, મંત્રી સાજીદભાઇ રહેમાનભાઇ ખોખર, સહમંત્રી યાકુબભાઇ હાસમભાઇ ભાણું અને ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ સૈયદ મહંમદ રફીકમીયા રજાકીયા બુખારી મુરાદ ગુલમહમદભાઇ દલવાણી, મહેબુબભાઇ અબ્‍બાભાઇ બેલીમ, જુસબભાઇ ઇબ્રાહીમભાઇ શામદાર, કાસમભાઇ અબુભાઇ લાખા, આશીફ અબ્‍બાસભાઇ બેલીમ, અલ્‍લાણી ઝાહીરભાઇ યાસીનભાઇ, યુસુફભાઇ સીદીભાઇ મકરાણી, શેખ ઇમરાનભાઇ રફીકભાઇ, સમીરમીયા કાસમમીયા બુખારી, રીઝવાન હાજી કરીમભાઇ બેલીમ, આશીફભાઇ ફિરોઝભાઇ કાલાવડીયા, અજીતભાઇ જમાલભાઇ જુણેજા, ઇરફાનભાઇ મહમદભાઇ ઠેબા, યાસીનભાઇ અબ્‍દુલહમીદ શેખ, હાજી હુશેનભાઇ સુલેમાનભાઇ માંડરીયા જોડાયા છે.

આ ઉર્ષ મુબારક પ્રોગ્રામ, સંદલ જુલુસ, ન્‍યુઝ તેમજ મિલાદ નાતીયામાં રાજકોટમાં સુન્ની મુસ્‍લીમ સમાજના મુબારક જલ્‍સામાં હાજરી આપી સવાબ હાસીલ કરશે. તેમ પ્રમુખ રફીકભાઇ દલવાણી, ઉપપ્રમુખ હબીબભાઇ કટારીયા(મો. ૯૮૨૪૪ ૧૬૦૬૯) અને મંત્રી સાજીદભાઇ ખોખરની યાદી જણાવે છે.

(3:42 pm IST)