Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

દાણીધારધામમાં મંગળવારે શ્રી નાથજીદાદાનો ૩૯૬મો શ્રાધ્‍ધ ઉત્‍સવઃ સમાધી પૂજન સંતવાણી

સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં ૫૧ થાળ, રાધે કાન ગોપી, ભવ્‍ય લોકમેળાનું પણ આયોજન

રાજકોટઃ શ્રી નાથજીદાદા ટ્રસ્‍ટ શ્રીનાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્‍ટ દ્વારા શ્રી નાથજી દાદા,દાણીધાર ધામ, પો.મુળીલા, તા.કાલાવાડ, જી.જામનગર મુકામે શ્રી નાથજીદાદાનો ૩૯૬મો  શ્રાધ્‍ધ ઉત્‍સવ નિમિતે તા. ૧૩ને મંગળવારના રોજ સવારે ૭ કલાકે સમાધી પૂજન, ૧૦:૩૦ કલાકે ૫૧ થાળ તેમજ સવારે ૧૦ થી સાંજે ૫ સુધી રાધે કાન ગોપી મંડળ (બામણસા ગીર) રાત્રે ૦૯ કલાકે ગુજરાતના નામાંકિત કલાકારો શ્રી રાજભા ગઢવી, શ્રી જીગ્નેશ કવીરાજ, શ્રી પરેશદાન ગઢવી, શ્રી દેવલબેન ભરવાડ, શ્રી મનસુખભાઇ વસોયા તેમજ શ્રી અજયસિંહ ડાભી દ્વારા ભવ્‍ય લોક સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરેલ છે. સમસ્‍ત ભકતોને સેવકગણોને સહકુટુંબ સ્‍નેહીજનો તેમજ મીત્રમંડળ સાથે લાભ લેવા પ્રમુખશ્રી ભાવસિંહ ડી. ડાભી મો. ૯૮૨૫૫૦૭૧૧૩ ની યાદી જણાવે છે. (તસ્‍વીર સંદીપ બગથરીયા)

(3:16 pm IST)