Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સદ્ગુરૂ આશ્રમે ગુરૂવારે વાજતે ગાજતે ગણપતિ બાપાના સામૈયાઃ મંગલ મહોત્સવ

રાજકોટ, તા. ૧૦ :. સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (શ્રી સદ્ગુરૂ આશ્રમ) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ ૪ તા. ૧૩ના ગુરૂવારથી ભાદરવા સુદ ૧૪ તા. ૨૩ ના રવિવાર સુધી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

ગણપતિજીનું સામૈયુ સવારે ૯.૦૦ કલાકે, સ્થાપન તથા પૂજન ૧૦.૦૦ કલાકે, દરરોજ મંગળા આરતી સવારે ૭.૦૦ કલાકે, થાળ દરરોજ બપોરે ૧૦.૪૫ કલાકે ધરાવવામાં આવશે. દરરોજ મધ્યાહન આરતી બપોરે ૧૨.૦૦ કલાકે અને દરરોજ સંધ્યા આરતી સાંજે ૮.૦૦ કલાકે થશે. સત્યનારાયણ ભગવાનની તથા તા. ૨૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૭ રાખવામાં આવેલ છે. વિસર્જન તા. ૨૩ના રવિવારે બપોરે ૧.૩૦ કલાકે કરાશે. ગુરૂવારે શ્રી ગણપતિજીનું સામૈયુ રંગે ચંગે ઢોલ-ત્રાસા સાથે વાજતે-ગાજતે કરવામાં આવશે. સામૈયામાં તથા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી ભાઈ-બહેનોને તથા ગુરૂભાઈ - બહેનોને ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(4:22 pm IST)