Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પ્રજાએ બંધને નિષ્ફળ બનાવી કોંગ્રેસને જાકારો આપ્યોઃ ઉદય કાનગડ

રાજકોટ તા. ૧૦ :.. આજે કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધનાં એલાનને રાજકોટ શહેરમાં અત્યંત નબળો પ્રતિસાદ મળતા પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યાનું સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે એક નિવેદનમાં જણાવ્યું હતું.

શ્રી કાનગડે જણાવ્યું હતું કે શહેરની બજારો ખુલ્લી રહી હતી. સરકારી ઓફીસો, બેંકો, પણ ચાલુ રહી હતી. આમ રાજકોટની પ્રજાએ કોંગ્રેસે આપેલ બંધનાં એલાનને જાકારો આપી નિષ્ફળ બનાવ્યું છે ત્યારે કોંગ્રેસે હવે આત્મ મંથન કરી અને આવા ખોટા તાવફાઓ બંધ કરવા જોઇએ તેમ નિવેદનનાં અંતે શ્રી કાનગડે જણાવેલ.

(4:15 pm IST)