Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટના એડવાકેટ દિલીપભાઇ પટેલની ઉંચી છલાંગ બાર. કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સભ્ય તરીકે નિમણુંક

ભારતની તમામ લો-કોલેજનું ઇન્સ્પેકશન, નવી કોલેજોની મુંજરી, વેલફેર ફંડ સહિતના મુદ્દે દિલીપભાઇ પ્રતિનિધિત્વ કરશેઃ વકીલોના મુત્યુ કેસમાં વારસદારોને ચાર લાખની સહાયઃ હડતાલ-અંકુસના સંદર્ભે વકીલો આંદોલન કરશે

રાજકોટ, તા.૧૦: બાર કોઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી દીપેન દવે. વાઇસ-ચેરમેન શ્રી પ્રવીણ ડી. પટેલ તેમજ એકઝીકયુટીવ કમીટીના ચેરમેન શ્રી કરણસિંહ વાધેલાની એક  સંયુકત અખબારી યાદીમાં જણાવે છે કે આજ રોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામાન્ય સભામાં ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે રાજકોટના શ્રી દીલીપ કે. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છેે. અને હવે પછી તેઓ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વતી ભારતની તમામ લો કોલોજ ઇન્સ્પેકશન. નવી લો કોલેજની મંજૂરી, કાયદામાં થતા સુચિત ફેર-ફાર તેમજ ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર ફંડના પ્રશ્ન સંદર્ભની બાદ કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં પ્રતિનિધિત્વ કરશે.

આ ઉપરાંત આજ રોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો સામાન્ય સભામાં છેલ્લા ધણા સમયથી ગુજરાત વેલફેર ફંડના મુત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારીને નીયમીત સમયસર ચુકવવી પડતી રકમના વીલંબનો પ્રશ્ન હાથ ધરવામાં આવેલ અને જેમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ગુજરાતના વેલ્ફેર ફંડના તમામ સભ્યો વાર્ષીક નીયમીત રીતે વેલ્ફેર ફંડની રકમમાં એક સરખુ લવાજમ ભરે તેવો નિર્ણય કરવામાં આવેલ અને તારીખ ૧૫/૯/૨૦૧૮થી ગુજરાત એકવોકેટ વેલ્ફેર ફંડના તમામ ધારાશાસ્ત્રીઓના સભ્યોએ વાર્ષીક રૂા. ૨૫૦૦/- પુરા તારીખ ૩૧/૧૨/૨૦૧૮ સુધી ભરવામાં માટે નકકી કરવામાં આવેલ અને નીયમીત પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓ વેલ્ફેરની ટીકીટીનું ભારણ વધુના પડે તે માટે ગુજરાતના ધારાશાસ્ત્રીઓએ તારીખ ૧/૧/૨૦૧૯થી તાલુકા તથા જીલ્લા અદાલતોમાં રૂા. ૨૦/-ની જગ્યાએ રૂા. ૧૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાવવાનો નીર્ણય કરવામાં આવેલ તેમજ તારીખ ૧/૪/૨૦૧૯થી ગુજરાતમાં મુત્યુ પામનાર એડવોકેટના વારસદારોને મુત્યુ સહાયની રકમ રૂા.૩.૦૦.૦૦૦/- થી વધારીને રૂા. ૪.૦૦.૦૦૦/- કરવાનો સર્વાનુમતે નીર્ણય કરવામાં આવે છે. તદ ઉપરાંત તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા બાર એસોશિએશન કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોઇ પણ  પ્રસંગે કોર્ટમાં હડતાલ કે બહીરકારમાં પર જે અંકુશ કરવામાં આવેલ છે. જે લોકશાહી પર સીધો પ્રહાર કરે છે જે સદર્ભમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં તારીખ પ/૯/૨૦૧૮ના રોજ આપવામાં આવેલ આદેશ અનુસાર તારીખ ૧૭/૯/૨૦૧૮ના રોજ દરેક તાલુકા તથા જીલ્લા અદાલત દ્વારા જાગૃતિની અભ્યાન શરૂ કરવાનું નકકી કરવામાં આવેલ અને એડવોકેટના બંધારણીય હકક અંગેના ઠરાવ લોકશાહીનો ઠરાવ સ્થાનીક કલેકટર, જીલ્લા ન્યાયાધીશને, તાલુકા કક્ષાએ મામલતદારોને અને મુખ્ય મંત્રીશ્રીને રૂબરૂ મળીને સુપરત કરવાનું તથા મેમોરેન્ડમ આપવાનું નકકી કરવામાં આવે છે અને મુખ્ય મંત્રીશ્રી ને સમગ્ર રાજયમાં બાર કાઉન્સીઝ ઓફ ગુજરાતની સંચાલન સમીતી બનાવી ધારાશાસ્ત્રીઓના હડતાલ સંદર્ભના પ્રશ્નોને રાજય વ્યાપી અંદોલન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સાધારણ સભામાં ગુજરાત લો. હેરાલ્ડના ચેરમેન તરીકે મોડાસાના હીરાભાઇ એસ. પટેલ તેમજ એડમીનીસ્ટેટીવ કમીટીમાં તેમજ બી.સી. આઇ. વેલ્ફેર કમીટીમાં અમદાવાદના સભ્યશ્રી અનીલ  સી. કેલ્લાની વરણી કરવામાં આવેલ છે. બાર કાઉન્સીલના ગુજરાતના સમરસ પેનેલના સંયોજક શ્રી જે.જે પટેલએ બી.સી.આઇ ના નવ નીયુકત સભ્યશ્રી દીલીપ.કે. પટેલ તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની નવી ટીમને અભિનંદન પાઠવેલ છે.

(12:09 pm IST)