Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સાસણ ખાતે વિશાલ ગ્રીન વુડ (લોર્ડઝ) પર ત્રિ-દિવસીય ઓશો મોન્‍સુન ફેસ્‍ટીવલ શિબિરનું આયોજન

આયોજન અને સંચાલીકાઃ નિના જોષી (માં પ્રેમ નંદીની), આયોજન અને સંચાલીકાઃ રેણુ પાંચાલ માધવી(માં પ્રેમ માધવી): ફેસ્‍ટીવલ ઓપનીંગ દિપ પ્રાગ્‍ટયના ૧૩ના સવારે સ્‍વામિ સત્‍યપ્રકાશ દ્વારા થશેઃ ૧૫મીના સાંજે ૪ વાગ્‍યે ફેસ્‍ટીવનું સમાપન

રાજકોટઃ સાસણ ખાતે વિશાલ ગ્રીન વુડ (લોર્ડઝ) પર ત્રિ-દિવસીય (શની, રવિ, સોમ) ઓશો મોન્‍સુન ફેસ્‍ટીવલ શિબિરનું આયોજન રાજકોટના યોગા માસ્‍ટર નિના જોષી (માં પ્રેમ  નંદિની) તથા હરિયાણાના પ્રેમ માધવી દ્વારા કરવામાં આવ્‍યુ છે.જેમા તા. ૧૩ થી ૧૫ ઓગષ્‍ટ દરમ્‍યાન બન્ને માસ્‍ટરો દ્વારા વિવિધ ઓશો ધ્‍યાન પ્રયોગો તથા વિવિધ યોગા કરાવવામાં આવશે.

ઓશોનો સંદેશ છે કે ઉત્‍સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર તથા હસીબા-ખેલીબા-ઘરીબા-ધ્‍યાનમુને સાર્થક વિવિધ ધ્‍યાન પ્રયોગો કરવામાં આવશે.

રંગરેજ ગ્રુપના માં પ્રેમ માધવીનો ટુકો પરિચય

માં પ્રેમ માધવી હરીયાણાના છે, તેઓએ ભારતભરમાં અનેક ધ્‍યાન શિબિરોનું આયોજન અને  સંચાલન કરેલ છે. તેઓશ્રી વિવિધ ટાઇમની ત્રણ દિવસથી દશ દિવસીય  અનેક ઓશો ધ્‍યાન શિબિરોનું સંચાલન કરેલ છે. રાજકોટમાં ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર પર આઠ શિબિરોનું સંચાલન કરેલ છે તેઓ શ્રીનો જન્‍મ ૧૦ ડીસે ૧૯૮૨ના રોજ થયેલ છે.તેઓ એ શિક્ષામાં બી.અ.(સાયકોલોજી) એમ.એ (હીન્‍દી) બી.એડ ઐયર લાઇન્‍સ મેનેજમેન્‍ટ કોર્ષ, એન.ટી.ટી. પ્રાથમીક ચિકિત્‍સા અને ગેુહ નશીંગમાં પ્રશિક્ષણ (સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય) નિમાંણ ઉદ્યોગ વિકાસ પરિષદ દ્વારા અનુચૌદિત પ્રમાણીત કુશલ પેંટર. તેઓને અનેક સઁરકારી તેમજ અર્ધસરકારી એવોર્ડ મળેલ છે.

યોગામાસ્‍ટર નિના જોષી (માં પ્રેમ નદિની) નો ટુંકમા પરિચયઃ

ઓરતે સન્‍યાસીની યોગા માસ્‍ટરમાં પ્રેમ નંદીની એ યોગા પર ડીપ્‍લોમાં કરેલ છે. હાલમાં તેઓ યોગા પર પી.એચ.ડીનો અભ્‍યાસ કરે છે. તેઓશ્રી એ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મીંદર પર અનેક ઓશો ધ્‍યાન શિબિરોનું સંચાલન તેમજ અનેક યોગાના કાર્યક્રમો કરેલ છે.

તેઓના સાનિધ્‍યમાં ધ્‍યાન કરનારા સાધકોએ દર્શાવ્‍યુ છે કે ધ્‍યાન પછી તો સ્‍વયંને વધારે ખુલ્લા, સંવેદન શિલ અને કેન્‍દ્રીત હોવાનો અનુભવ કર્યો અને જોયુ કે ધ્‍યાન દરમ્‍યાન તેઓ વધારે ગહનરૂપે શિથિલ અને શાંત થઇ શકે છે.

ઉપરોકત ઓશો ફેસ્‍ટીવલમાં ધ્‍યાનનું સંચાલન રંગરેજગ્રુપના માં પ્રેમ માધવી કરેલ જેમા હિલીંગ, ઓરા કલીનીંગ, રેઇન ડાન્‍સ ઇ એન્‍ડ ટી રેપીંગ થેરાપી,કલર થેરાપી ઓશો મેડીટેશન, યીન-યાન, એનર્જી ટેકનીક જેવા ધ્‍યાન અને ઓશો એ જે પતંજલી યોગ સૂત્ર પર જે વાત કરી કે યોગ દ્વારા શરીર અને મનને જોડીને આત્‍માને જાગૃત કરવાની જે યોગ વિધિઓ  છે. જે ઓશો  સંન્‍યાસીની રાજકોટના ખુબજ જાણીતા યોગા માસ્‍ટર અને ઓશો મેડીટેશન વાળા નીના જોષી(માં પ્રેમ નંદીની) કરાવશે.

ઉત્‍સવ મારો ધર્મ-પ્રેમ મારો સંદેશ, મોન મારૂ સત્‍ય આ શિબિરમાં થશે. જોતાજ આંખ ઠરે એવુ પરિશર અને મળતાજ હૈયુ હરખાય એવા ઓશોના સંન્‍યાસીઓ પતંજલી યોગ સાથે જોડાયેલા શ્રીશ્રી આર્ટ ઓફ લીવીંગ અને સદ્‌ગુરુ સાથે દરેક ધર્મ સાથે જોડાયેલા દરેક સાધકો છે.

વરસાદમાં ભીની થયેલી માટી, રંગબેરંગી ફુલોની સુગંધ અને પંખીના કલરવ સાથે, સમયની મધુર સ્‍મૃતિ સંગાથે લઇ જવાનો મોકો આ રિસોર્ટના માલીક બળવંતભાઇ ધામીએ સર્વને આમંત્રણ અપાયુ છે.

સ્‍થળઃવિશાલગ્રીન વૃડ(લોર્ડઝ) સાસણ-ગીર, વિશેષ માહિતીઃ નીના જોષી (માં પ્રેમ નંદીની)-૯૮૨૪૫૮૪૪૨૨, દિનેશભાઇ ડોડીયા (સ્‍વામી ગીત ગોવિંદ)-૮૫૧૧૧૧૯૪૧૬, માં પ્રેમ માધવી-૮૩૧૯૨૩૮૮૭૨

(4:03 pm IST)