Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગુરૂવારે શ્‍યામ ગ્રુપનો સ્‍થાપના દિવસઃ છાશ, ચકલીના માળા, કુંડાનું વિતરણ

રાજકોટઃ અહિં સ્‍વામિનારાયણચોક ખાતે ગ્રુપના પ્રમુખ નારણભાઈ બોળીયા, શ્‍યામ ફેમીલી સુત્ર સાકાર રેસ્‍ટોરન્‍ટવાળાની રાહબરે બ્‍લડકેમ્‍પ ગણેશ મહોત્‍સવ વિગેરે પ્રવૃતિ કરવામાં આવે છે. તા.૧૨ના ગુરૂવારે  શ્‍યામગ્રુપનો સ્‍થાપના દિન તથા શ્‍યામ નારણભાઈ બોળીયાના જન્‍મદિને રકતદાન કેમ્‍પ વિનામૂલ્‍યે છાશ વિતરણ, ચકલીના માળા, કુંડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ સ્‍વામિનારાયણ ચોક વેપારી એસો.ના પ્રમુખ બાલાભાઈ બોળીયાના હસ્‍તે કાર્યક્રમનું દીપપ્રાગટય થશે. તુલીસદાસ ગોંડલીયા મો.૯૯૭૯૪ ૬૯૫૯૯ કરશે. વધુ વિગત માટે પ્રમુખ શ્‍યામગ્રુપ નારણભાઈ બોળીયા મો.૮૪૬૦૦ ૦૯૯૧૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં નારણભાઈ બોળીયા, તુલસીદાસ ગોંડલીયા, રોહીત નારણભાઈ બોળીયા અને શ્‍યામ નારણભાઈ બોળીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:49 pm IST)