Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

વાંકાનેર ટોલનાકે ઇકોમાં મુસાફર ભરવા મામલે બાબુ પર છરીથી હુમલો

સામેની ઇકોના ચાલક અલ્‍તાફ, ફૈઝલ સહિતનાએ હુમલો કર્યો

રાજકોટ તા. ૧૦: વાંકાનેરના જેતપરડા ગામે રહેતાં અને વાંકાનેર ટોલનાકાથી ચોટીલા સુધી ઇકોમાં મુસાફરના ફેરા કરી ગુજરાન ચલાવતાં બાબુ મોનભાઇ સરૈયા (ઉ.વ.૨૫) નામના યુવાન પર રાતે સાડા બારેક વાગ્‍યે વાંકાનેર ટોલનાકા પાસે હતો ત્‍યારે ફૈઝલ, અલ્‍તાફ સહિતનાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ છરીથી હુમલો કરી માથા, વાંસા, પડખામાં ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

બાબુ ઉર્ફ વીભા સરૈયા ઘણા સમયથી ઇકોના ફેરા કરે છે અને તેની ગાડી વાંકાનેર-ચોટીલા પાટે ચાલે છે. તેના સગાના કહેવા મુજબ સામેના શખ્‍સો ફૈઝલ, અલ્‍તાફ પણ આ પાટે ઇકોના ફેરા કરતાં હોઇ મુસાફરો ભરવા મામલે ડખ્‍ખો કરી છરીના ઘા ઝીંક્‍યા હતાં. અગાઉ પણ એક વખત આ શખ્‍સોએ માથાકુટ કરી હોવાનું જણાવાયું હતું.

(11:45 am IST)