Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

શ્રીમદ્દ રાજચંદ્રજીના ચિત્રપટનું અનાવરણ

કબા ગાંધીના ડેલામાં શ્રી રાકેશભાઇ ઝવેરીની ઉપસ્થિતીમાં ભકિતસભર કાર્યક્રમ

રાજકોટ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્દ રાજચંદ્રજિીના ચિત્રપટનું અનાવરણ શ્રીમદ્દ રાજચંદ્રજીના દેહોત્સર્ગદિને કબા ગાંધીનો ડેલો, લાખાજીરાજ રોડ ખાતે કરાયુ હતુ. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરૂદેવ શ્રી રાકેશભાઇ ઝવેરીના હસ્તે ભકિતસભર વાતાવરણમાં આ ચિત્રપટ ખુલ્લા મુકાયેલ તે સમયે મેયર ડો. જયમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર દર્શીતાબેન શાહ, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, ટ્રસ્ટી ડો. સુશીલાબેન શેઠ, કુમુદબેન નેને વગેરે ઉપસ્થિ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી અને ટ્રસ્ટી વિનોદભાઇ ગોસલીયાએ કરેલ.

(3:57 pm IST)