Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

પુષ્કરમાં રામધામ ટ્રસ્ટ દ્વારા જુલાઇમાં ગુરૂપૂર્ણીમા ઉત્સવ-પાઠ-ભંડારો-અન્નકુટ

રાજકોટ તા. ૧૦: સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુની તથા પ્રેરણાથોી શ્રી રામધામ ટ્રસ્ટ, પુષ્કર (રાજસ્થાન), મુકામે તા. ર૩ જુલાઇના સોમવારથી તા. ર૭ જુલાઇ શુક્રવાર સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર૩ જુલાઇ આસો સુદ-૧૧, શ્રી રામચરિત માનસજીનાં પાઠનો પ્રારંભ સવારે ૮-૩૦ થી ૧ર તથા બપોરે ૩-૩૦ થી ૭ સુધી, તા. ર૪ જુલાઇના આસો સુદ-૧ર, શ્રી રામચરિત માનસજી પાઠ અંતર્ગત શ્રી રામોત્સવ, તા. રપ જુલાઇના આસો સુદ-૧૩, બુધવારે શ્રી રામવિવાહ પ્રસંગ, તા. ર૬ જુલાઇના પૂર્ણાહુતિ તથા શ્રી હનુમાન ચાલીસા, શ્રી હનુમાન બાહુકનાં પાઠ સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધી તેમજ તા. ર૬ જુલાઇના ગુરૂવારે પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીની શોભાયાત્રા બપોરે ૪-૩૦ થી ૬-૩૦ વાગ્યા સુધી આયોજીત કરાઇ છે.

તા. ર૭-૭-૧૮ શુક્રવારે શ્રી ગુરૂપૂર્ણિમાં મહોત્સવ નિમિતે પ. પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીનું પુજન સવારે ૮-૩૦ વાગ્યે કરાવવામાં આવશે. સાધુ સશ્રંતોનો ભંડારો, અન્નકુટ તથા મહાપ્રસાદ વિગેરેનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શ્રી ગુરૂપૂર્ણિમા મહોત્સવ તથા શ્રી રામચરિત માનસજીનાં પાઠ, ભંડારો, અન્નકુટ વિગેરેમાં પધારાવવા શ્રી રામધામ ટ્રસ્ટ, પુષ્કર (રાજસ્થાન) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(3:50 pm IST)