Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા શનિવારે રૂગનાથજી મંદિરે પાટોત્સવ ઉજવાશે

અન્નકોટ દર્શન બાદ પ્રસાદ ગરીબો અને આશ્રમોમાં પહોંચતો કરાશે

રાજકોટ તા. ૧૦: રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા સોની બજાર સ્થિત, બોઘાણી શેરીમાં આવેલ ૧૩૧ વર્ષ જુનું સમગ્ર મોઢ વણિક જ્ઞાતિનાં ઇષ્ટદેવ એવા શ્રી રૂગનાથજી (રામચંદ્રજી) મંદિરનો પાટોત્સવ તા. ૧પના શનિવારે સવારે ૧૧ કલાકે કરવામાં આવેલ છે. મહા આરતી સવારે ૧૧ કલાકે મહાનુભાવોનાં વરદ હસ્તે ઉતારવામાં આવશે, પાટોત્સવનાં દર્શન લાભ સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી મળશે. સાથે અન્નકોટ દર્શનનું આયોજન પણ છે.

અન્નકોટની વિશેષ માહિતી તથા સામગ્રી માટે આશીષભાઇ વોરા મો. ૯૮રપ૬ ૪૮૯૦૦, સાવભાઇ ભાડલીયા મો. ૮ર૪૮ ૩૦૩૧૮, કેતનભાઇ પારેખ મો. ૯૮રપ૩ ૩૭૩પર, જીજ્ઞેશભાઇ મેસ્વાણી મો. ૯૯૦૪૧ ૬૧૦૯૯નો સંપર્ક કરી શકાશે. દર્શન પ્રસંગ પૂર્ણ થયે અન્નકોટની સામગ્રી ગરીબ લોકોમાં અગર કોઇ આશ્રમમાં પ્રસાદી આપી દેવામાં આવશે.

પાટોત્સવ પ્રસંગે મોઢ મહોદયનાં કારોબારી સભ્ય કિરીટભાઇ પટેલ, રઘુવીર જીનીંગવાળા રમેશભાઇ જીવાણી, દિકરાનું ઘર-ઢોલેરાના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, મોઢવણિક સમાજનાં પ્રમુખ ધર્મેશભાઇ શેઠ, મોઢ વણિક યુવા ગ્રુપનાં ચેરમેન કેતનભાઇ મેસ્વાણી, મોઢ વણિક મિત્ર મંડળનાં પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, મોઢ વણિક મહિલા સત્સંગ મંડળનાં પ્રમુખ શ્રીમતી ગીતાબેન અશ્વિનભાઇ પટેલ, સમસ્ત મોઢ વણિક મહિલા મંડળનાં પ્રમુખ સરોજબેન ભાઠા, શ્રી કેતનભાઇ બોઘાણી (હેન્ડસમ), ચેતનભાઇ પારેખ (રાધે કેટરર્સ), કિશોરભાઇ ભાડલીયા (સપના એન્જી.), જયસુખભાઇ વોરા, (સેલ્સ કોર્પો.) જીતુભાઇ વોરા (પ્રેમ એન્ટરપ્રાઇઝ), રમેશભાઇ પટેલ (ગીરીરાજ પ્લાસ્ટીક), અમીતભાઇ આર. પટેલ (શ્રીનાથજી સ્ટીલ), નિરવભાઇ મણીયાર (સત્યમ ઇન્વેસ્ટમેન્ટ), જ્ઞાતિ અગ્રણી જશુભાઇ મહેતા, કિરીટભાઇ બખાઇ (કમલ મેડીકલ) ખાસ ઉપસ્થિત રહીને પ્રસંગની ગરીમા વધારીને આરતી ઉતારવાનો લાભ લેશે.

ધાર્મિક મહોત્સવને યશસ્વી બનાવવામાં પ્રમુખ ભાગ્યેશભાઇ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કિરેનભાઇ છાપીયા, ઉપપ્રમુખ સુનીલભાઇ વોરા, માનદ મંત્રી અશ્વિનભાઇ વડોદરીયા, સહમંત્રી કેતનભાઇ પારેખ, ટ્રેઝરર નીતિનભાઇ વોરા, ટ્રસ્ટી સુમનભાઇ ગાંધી, સંજયભાઇ મણીયાર, જગદીશભાઇ વડોદરીયા, ઇલેશભાઇ પારેખ ત્થા રૂગનાથજી મંદિર વ્યવસ્થાપક કમીટીનાં આશીષભાઇ વોરા (કન્વિનર) સાવનભાઇ ભાડલીયા (સહ કન્વિનર), ધર્મેશભાઇ વોરા, ચેતનભાઇ મહેતા, દિપકભાઇ વડોદરીયા, પરેશભાઇ વડોદરીયા, યોગેશભાઇ પારેખ, યતિનભાઇ ધ્રાફાણી, પ્રેસ મીડિયા કમીટી મેમ્બર હિરેનભાઇ પારેખ, અશ્વિનભાઇ પટેલ પ્રચાર પ્રસાર સેવા પુરી પાડશે તેમ સંસ્થાના પ્રમુખ ભાગ્યેશભાઇ વોરાની યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)