Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

રાજકોટ નવાગામના મામાવાડી વિસ્તારમાં રિક્ષાચાલક દેવીપુજક યુવાન આકાશ કાંજીયાની પાઇપના ઘા ફટકારી હત્યા : મૂળ યુપીના મુસ્લિમ શખ્સે હુમલો કર્યાની ચર્ચા

રાજકોટ: શહેરના નવાગામમાં મામવાડી વિસ્તારમાં પાઇપ-તલવારના ઘા ઝીંકી દેવીપૂજક યુવાન આકાશ કાંજીયા ઉ.વ. 22ની હત્યા નિપજાવવામાં આવી છે.  કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળા, પીએસઆઇ મેઘલાતર, હિતેશદાન ગઢવી, અરવિંદભાઈ મકવાણા સહિતનો સ્ટાફ દોડી ગયો છે. 

હત્યાનો ભોગ બનનાર આકાશ પોલાભાઈ કાંજીયા(ઉ.વ.22) રીક્ષા ચાલક છે. સાંજે ચારેક  મામવાડીમાં ઘર પાસે હતો ત્યારે  તેના પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો હતો.  તેને સિવિલ હોસ્પિટલમાં 108  મારફત ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાનો ભોગ બનનારના પિતા પણ રીક્ષા ચાલક છે. બનાવની જાણ થતાં જ મૃતકના પિતા, માતા લાભુબેન, બહેન સુનિતા, ભાઈઓ વિજય, અજય, અરવિંદ સહિતના  હોસ્પિટલે  દોડી આવ્યા હતા. કોઈ યુપીના મુસ્લિમ શખ્સે હુમલો કર્યાની અને જૂનું મનદુઃખ કારણભૂત હોવાની વાતે તપાસ શરૂ થઈ છે.

(6:32 pm IST)