Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

રામનાથપરામાં માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં માઠુ લાગતાં ૧૬ વર્ષની દિકરી અર્પિતાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ રામનાથપરા હુશેની ચોક પાણીના પરબ પાસે રહેતાં મુળ બંગાળના તપસભાઇ બાગની દિકરી અર્પિતા (ઉ.વ.૧૬)એ સાંજે ઘરમાં દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. એ-ડિવીઝનના પીએસઆઇ જે. એમ. ભટ્ટે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ માતા-પિતા વચ્ચે ચડભડ થતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. વધુ તપાસ યથાવત રખાઇ છે.

(11:42 am IST)