Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

'નવરંગ' દ્વારા જામફળીના રોપા વિનામુલ્યે

રવિવારે આદુ-મધ-લીંબુ સરબત પણ નિઃશુલ્ક *ઓર્ગેનિક ગોળ રૂ.૫૫નો કિલો *કમલભાઇ ધામીના હસ્તે રોપ વિતરણનો પ્રારંભ થશે

રાજકોટ તા.૧૦: નવરંગ નેચર કલબ-દ્વારા રવિવારે આદુનું સરબત વિના મુલ્યે પાવામાં આવશે, કલમી જામફળના રોપા વિના મુલ્યે, ઓર્ગેનીક દેશી ગોળ, લીલા નાળીયેર, બીજોરાનું સરબત, મધ રાહત દરે વિતરણ થશે.

કલમી જામફળીના રોપાઃ મકરસંક્રાંતિના પર્વમાં દાનપુન કરવાનું મહત્વ છે. તેથી પર્યાવરણની જાળવણી માટે કલમી જામફળીના રોપાનું વિના મુલ્યે વિતરણ કરી વૃક્ષો વધારવાની અને નવો દાનપુનનો ચીલો પાડવાનો પ્રયત્ન છે. કુલ ૩૦૦ રોપાનું વિતરણ વિના મુલ્યે કરવામાં આવશે. આમ જોવા જઇએ તો રૂ.૮૦/- માં ૧-રોપો મળતો હોય છે.

આદુ : આદુનું સેવન કરવાથી કદ અને પીતમાં ખુબ જ કાયદો થાય છે પાચન ક્રિયા સુધરે છે. સ્થુળતા જાડાપણુ અને મેદ ઘટાડે છે. હૃદયને કાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે છાતીમાંથી શરીદી કાઢે છે આમવાત (એસીડીટી) સોજા મટાડે છે. લોકો વધુમાં વધુ આદુનો વપરાશ કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.

ઓર્ગેનીક દેશી ગોળઃ ગીરની પ્રખ્યાત શેરડીનો દેશી બનાવટનો કોઇપણ જાતની દવા નાખ્યા વિનાનો ગોળ-૧ કિલોના રૂ.૫૫ લેખએ પ્લાસ્ટીકની ડબ્બીમાં ૪-કિલો ગોળ રૂ.૨૨૦/-માં વેચાણ છે.

અગરબતીઓઃ ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

દેશી અથાણાઃ હાથ બનાવટના કેમીકલ વગરના દેશી અથાણાઓ જેવા કે કૈડા, કેરી, ગુંદા વિગેરે મળશે.

દેશી ગાયનું ઘી : વિધવા બહેનો પગભર થાય તે માટે દેશી ગાયો રાખી તેનું ઘી અને છાશ બનાવી અહીં વ્યાજબી દરે વેચાણ માટે આવે છે. તો આપણે તેને પગભર કરવા માટે ગાયનું ઘી અને છાશનો ઉપયોગ કરી તેને મદદરૂપ થઇએ.

ફુલછોડ :  કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ ૧પ-જાતના રંગવાળા ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ : એલોેરા જયુસ સપ્તપૂર્ણ રાહત દરે મળશે : લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ

મધ (પ્રવાહી સોનું) : અહીં માત્ર રૂ. ર૪૦/- ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે.

હાથના થોરના ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ.૨૦૦/-ની મળે છે અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપૂરૂ કુદરતી છે અને રૂ.૧૦૦/-માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

કાર્યક્રમ સિસ્ટર નિવેદિતા, નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાઘર), ૩-બાલમુકુન્દ પ્લોટ્સ, ફાયર બ્રિગેડથી થોડે દુર, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે તા.૧૪-૧-૨૦૧૮ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૯ થી ૧-૩૦ દરમિયાન યોજાશે. કલમી જામફળના રોપાનું વિના મુલ્યે વિતરણની શુભ શરૂઆત કમલભાઇ ધામી-સી.ઇ.ઓ.રાજ બેંક રાજકોટના વરદ હસ્તે સવારે ૯ કલાકે કરવામાં આવશે વધારે વિગતો માટે વી.ડી.બાલા મો.૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

*વિવિધ જાતના દેશી પીણાના પાઉડર અને સુપો, લીલા નાળીયેર, બીજોરાનું સરબત, મઘ રાહત દરે વિતરણ

*દેશી ગાયનું ઘી-૧ કિલોના રૂ. ૮૦૦/-

*વાકાનેરની પ્રખ્યાત મીટ્ટીફુલના વિવિધ માટીના વાસણો

*વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

*વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે.

*વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ

*ઓર્ગેનિક મગ-૧ કિલોના રૂ. ૮૦/-

*વિવિધ જાતના શાકભાજીના બીયારણ પેકેટ-રૂ. પ/-

*રાહત દરે લીંબડા સાબુ

* આદુ-૧ કિલોના રૂ. ૬૦/-

*દેશી મુખવાસ

*પાપડ,ખાજલી

*લીલા નાળિયેર કિંમત રૂ. ર૦/-

*પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ. ૧૦/-

*પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા : કિંમત રૂ. ૧૦/-

*લીલા નાળીયરનો હલવો પ૦૦-ગ્રામના

   રૂ. ૧૩૦/-

*સરગવાના પાંદડાનો પાવડર -૧ પેેકેનેટ રૂ. ર૦

*બીજોરાનું સરબત રૂ. ૧૦/-

* લીલી હળવદ

(4:29 pm IST)