Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

બેન્ક ઓફ ઇન્ડીયા (રાજકોટ) દ્વારા એનઆરઆઇ મીટ સંપન્ન

રાજકોટઃ બેન્ક ઓફ ઇન્ડીયા રાજકોટ દ્વારા તાજેતરમાં એનઆરઆઇ મીટનું આયોજન કરવામાં આવેલ. આ મીટમાં રાજકોટ અને જામનગરના એનઆરઆઇ કસ્ટમરો બહોળી સંખ્યામાં હાજર રહેલ. બેન્કના જનરલ મેનેજર પરશુરામ પાંડે દ્વારા આ મીટમાં ખાસ ઉપસ્થિત રહી એનઆરઆઇ કસ્ટમરોને બેન્ક દ્વારા વિવિધ સુવિધાઓ સરળતાથી અપાય છે. તે અંગેની વિસ્તૃત માહીતી પુરી પાડવામાં આવેલ. બેંન્ક ઓફ ઇન્ડીયાના ઝોનલ મેનેજર કે.વી.પ્રકાશે  ગ્રાહકોને કોઇ પણ જાતની કોઇ મુશ્કેલી હોય તો તે સરળતાથી દુર કરી અને બેન્ક તેમને શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડશે તેવી ખાતરી આપી હતી. ઝોનલ મેનેજર કે.વી.પ્રકાશે વિશેષમાં બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા અન્ય બેને કરતા જે શ્રેષ્ઠ સેવાઓ પુરી પાડવામાં આવે છે તેનો લાભ લેવા સાથે અન્ય એનઆરઆઇ ગ્રાહકોને તેની જાણ કરી તેઓ પણ આ બેન્કની સેવાઓનો લાભ લ્યે તેવા પ્રયાસો કરવા અપીલ કરી હતી. ઉપસ્થિત એનઆરઆઇ ગ્રાહકોએ બેન્ક ઓફ ઇન્ડીયાની સેવાઓ અંગે સંતોષ વ્યકત કરેલ.

(3:47 pm IST)