Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ગલ્તાજી જયપુર ખાતે ૨૩ મીએ શ્રી પતિત પાવન ભગવાનની જન્મ જયંતિ ઉજવાશે

રાજકોટ તા. ૧૦ : શ્રીરામચંદ્ર ભગવાન સ્વરૂપ પૂ. સદ્દગુરૂ દેવ શ્રી પતિત પાવન ભગવાનનાં આશીર્વાદ અને પૂ. રણછોડદાસજી બાપુ તથા મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસ બાપુની પ્રેરણાથી સદ્દગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાન જયાં બિરાજમાન છે તે પવિત્ર તપોભુમિ ગલ્તાજી જયપુર (રાજસ્થાન) માં પૂ. શ્રી પતીત પાવન ભગવાનની જન્મ જયંતિ ધામેધુમે ઉજવવા આયોજન કરાયુ છે. તા. ૨૩ ના મંગળવારે ભંડારો (સાધુ ભોજન) રાખેલ છે. મોટી સંખ્યામાં સાધુ સંતો અને ગુરૂભાઇ બહેનો મહાપ્રસાદનો લાભ લેશે. સમગ્ર આયોજનમાં દાતાઓનો સહયોગ મળેલ છે. આ ઉત્સવને સફળ બનાવવા શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતિ રાજકોટના સુરેશભાઇ ગોળવાળા (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઇ વસાણી (મો.૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઇ રાચ્છ (મો.૯૮૨૪૫ ૪૬૩૮૫), વિનુભાઇ માણેક, હસુભાઇ ખેતાણી, રવજીભાઇ નાથાણી, વલ્લભભાઇ વસાણી, નિલેશભાઇ ચલાલાવાળા, રાજુભાઇ શુકલની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહીતી માટે પતીત પાવન ભગવાન સેવા સમિતિ કાર્યાલય મોમાઇ ટ્રેડીંગ, સટ્ટા બજાર ચોક, રાજકોટ (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:56 pm IST)