Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વિઠ્ઠલભાઇ રાદડિયા નાદુરસ્ત તબિયતના કારણે મતદાનથી વંચીત

જેતપુર તા. ૯ :.. પોરબંદર વિસ્તારના સાંસદ ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયા પોતાની નાદુરસ્ત તબીયતના કારણે આજરોજ વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં મતદાન ન કરી શકયા તેમના પુત્ર જયેશભાઇ રાદડીયા(કેબીનેટ મંત્રી) ભાજપના ઉમેદવાર હોય તેમના પીતાનું મતદાન તેમના જ મત વિસ્તારમાં આવેલ છે. વિઠ્ઠલભાઇના આર્શિવાદથી જયેશભાઇ ફરી જંગી લીડથી વિજયી બનેશે તેવુ લોકોમાં ચર્ચાય રહયું છે. આ વખતની ચૂંટણી ભારે રસાકસીવાળી હોય વિઠ્ઠલભાઇ ચૂંટણી કાર્યમાં હાજર રહી શકયા ન હોય શહેરના તમામ અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, દરેક સમાજના  લોકોએ વિઠ્ઠલભાઇના કાર્યોને લીધે જયેશભાઇની સાથે રહ્યા છે.

 

(4:39 pm IST)