Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

કાલાવડ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં જેન્તીભાઇ ભેંસદડીયાનું મોત

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૯ :.. રાજકોટ કાલાવડ હાઇવે દેવગામ ખોડીયાર મંદિર પાસે કન્યા હોટલ સામે ફોરવ્હીલ તેમજ ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયંુ હતું. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ કાલાવડ હાઇવે દેવગામ ખોડીયાર મંદિર પાસે કન્યા હોટલ સામે ટ્રક નંબર એચ.આર. ૩૮-એએ-પ૦૮પ ફોર વ્હીલ  એવો-લા નં. જેજે-૦૩-ડીજી-૦૪૮૩ ના કાર ચાલક જેન્તીભાઇ ભેસદડીયાનું અકસ્માત સ્થળે મૃત્યુ નિપજેલ છે. તસ્વીરમાં અકસ્માત ગ્રસ્ત વાહનો નજરે પડે છે.

(3:40 pm IST)